અમદાવાદના પ્રહલાદ નગરની એક બિલ્ડિંગમાં આગ: કોમર્સ હાઉસ 4 બિલ્ડિંગના 9માં માળે આગ લાગી; 65 લોકોને બચાવી લેવાયા, હાલ સ્થિતિ સામાન્ય
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan14052024_112756_Fire 22.webp)
- 14 May, 2024
અમદાવાદના પ્રહલાદ નગર રોડ પર આવેલી કોમર્સ હાઉસ 4 બિલ્ડિંગના 9માં માળે આગ લાગી હતી. ઘટના બની તે વખતે 25થી વધારે લોકો લિફ્ટમાં હતા. ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને 65 લોકોને બચાવી લીધા હતા.
આગની ઘટનાને પગલે લોકોનાં ટોળાઓ રોડ પર એકત્રિત થઈ ગયા હતા. આગ ઈલેક્ટ્રીક ડક્ટમાં આગ લાગવાને કારણે લાગી હોવાની વાત સામે આવી છે. જોકે આ અંગમાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નહોતી. આગ લાગવાના પગલે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. જોક ફાયર જવાનોએ આવીને તમામને બહાર કાઢી લીધા હતા. હાલ અહીં પરિસ્થિતિ સામાન્ય છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ